શ્રી અંબાજી માતા ઉચ્ચતર વિદ્યાલય ભરતી ૨૦૨૬: ભૌતિકશાસ્ત્ર શિક્ષક માટે વોક-ઇન ઇન્ટરવ્યુ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબાજી માતા ઉચ્ચતર વિદ્યાલય (વિજ્ઞાન પ્રવાહ), અંબાજી ખાતે નોન-ગ્રાન્ટેડ ધોરણે ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયના શિક્ષકની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરતી સંબંધિત મહત્વપૂર્ણ વિગતો
| સંસ્થાનું નામ | શ્રી અંબાજી માતા ઉચ્ચતર વિદ્યાલય (વિજ્ઞાન પ્રવાહ), અંબાજી |
| સંચાલક ટ્રસ્ટ | શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ |
| જગ્યાનું નામ | ભૌતિકશાસ્ત્ર શિક્ષક (Physics Teacher) |
| કુલ જગ્યા | ૦૧ (એક) |
| જરૂરી શૈક્ષણિક લાયકાત | M.Sc., B.Ed. |
| માસિક ફિક્સ પગાર | ₹ ૨૬,૦૦૦/- |
| નોકરીનો પ્રકાર | ૧૧ માસ કરાર આધારિત (હંગામી ધોરણે) |
| ઇન્ટરવ્યુ તારીખ | ૨૧/૦૮/૨૦૨૬ |
| ઇન્ટરવ્યુ સમય | બપોરે ૧૨:૦૦ કલાકે |
ઇન્ટરવ્યુ સ્થળનું સરનામું
વહીવટદાર કચેરી,
શ્રી અંબાજી મંદિર, અંબાજી,
તા. દાંતા, જી. બનાસકાંઠા – ૩૮૫૧૧૦
ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના ખર્ચે (સ્વ-ખર્ચે) તમામ પ્રમાણિત પ્રમાણપત્રોની નકલો અને અસલ દસ્તાવેજો સાથે નિયત સમયે હાજર રહેવું.
- અનુભવી શિક્ષકોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
Disclaimer (ડિસ્ક્લેમર): આ માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી અને સરળતા માટે આપવામાં આવી છે. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા કે ઇન્ટરવ્યુમાં જતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર અખબાર/સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ મૂળ જાહેરાત ચકાસી લેવાની સલાહ આપવામાં આવે છે.
